26 Aug 2024

1. મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના (Meaning and Concept of Psychology)

 મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના

       (Meaning and Concept of Psychology)      

                                                                                                                                                         મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી (Psychology) કહેવામાં આવે છે. આ શબ્દ સાયકો (Psycho) અને લોગોસ (Logos) નો બનેલો છે. સાયકો એટલે આત્મા અને લોગો' એટલે શાસ્ત્ર. આમ પહેલાંના વખતમાં મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન એવો અર્થ કરવામાં આવતો હતો. પહેલાંના તત્ત્વચિંતકો આત્માના સ્વરૂપને ચિંતન દ્વારા જાણવાનો પ્રયાસ કરતા. પરંતુ સમયના પ્રવાહ સાથે માનવજીવનના પ્રવાહો અને દષ્ટિકોણો બદલાતાં મનોવિજ્ઞાનના તાત્ત્વિક અર્થમાં પણ પરિવર્તનો થયાં. મનોવિજ્ઞાનની પરિભાષામાં કાળક્રમે થયેલાં પરિવર્તનો કેવી રીતે થયાં તે જોઈશું.

6. સેગ્યુઇન ફોર્મ બોર્ડ ટેસ્ટ (ઝડપ અને ચોકસાઈ માપન)

                     સેગ્યુઇન ફોર્મ બોર્ડ ટેસ્ટ ઇન્ટેલિજન્સની સિંગલ ફેક્ટર થિયરી પર આધારિત છે. જે ઝડપ અને સચોટતાનું માપન કરે છે. તે બાળકનાં (3 થી 15 વર્ષ)ના આંખ - હાથના સંકલન, આકાર-વિભાવના, વિઝ્યુઅલ ધારણા અને જ્ઞાનાત્મક ક્ષમતાનું મૂલ્યાંકન

5. આલ્બર્ટ બાંડુરા નો બોબો ડોલનો પ્રયોગ

                   આલ્બર્ટ બાંડુરા નો બોબો ડોલનો પ્રયોગ મનોવિજ્ઞાનમાં ખૂબ જાણીતો છે.તેમણે આ પ્રયોગ 1961થી 1963ની વચ્ચે કર્યો હતો. આ પ્રયોગ કરવા માટે તેઓએ એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં તેમણે દર્શાવ્યું હતું કે એક મહિલા એક ઢીંગલીને જોર જોરથી મારે છે અને આક્રમક શબ્દોનો ઉપયોગ કરીને બરાડા પાડે છે.આ ફિલ્મ બાળકોના એક જૂથને દર્શાવવામાં આવે છે.

4. વ્યક્તિત્વ માપનની કસોટી (શાહીના ડાઘા ની કસોટી)

         વ્યક્તિત્વ ની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે આપી છે. પરંતુ જી. ડબ્લ્યુ ઓલપોર્ટે સર્વ સામાન્ય વ્યાખ્યા આપેલી છે કે ' દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે આગવી રીતે સમાયોજન સાધી શકે તેવા મનોશારીરિક તંત્રનું ગતિશીલ સંગઠન એટલે વ્યક્તિત્વ.'

       વ્યક્તિત્વ માપનની કસોટીમાં પ્રક્ષેપણ કસોટી(Projection test) ઘણી જાણીતી થયેલી છે. એમાંની સૌથી જાણીતી થયેલી પ્રક્ષેપણ કસોટી રોરશાર્કની શાહીના ડાઘા ની કસોટી એના વિશે આજે આપણે માહિતી મેળવીએ. સર્વ પ્રથમ બીનેટે 1895 માં પ્રક્ષેપણ પદ્ધતિ માટે શાહીના ડાઘા નો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. હાવર્ડ યુનિવર્સિટીમાં ડિયર બોર્નએ(Dear born) 1897 માં સૌપ્રથમ શાહીના ડાઘા વાળી કસોટી નો ઉપયોગ કર્યો હતો. આમ મનોવિજ્ઞાનમાં

3. માનસિક રોગોના વર્ગીકરણ

          માનસિક રોગોના વર્ગીકરણમાં બે આંતરરાષ્ટ્રીય સંસ્થા જાણીતી છે અને એ બંને આંતરરાષ્ટ્રીય સંસ્થા જુદા જુદા પ્રકારના વર્ગીકરણ બહાર પાડે છે એમાંની એક સંસ્થા એટલે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન જે ડી.એસ.એમ. (DSM) એટલે કે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટેસ્ટીકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર એવું બહાર પાડે છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા એ આઈસીડી ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડીસીઝ નામનું વર્ગીકરણ બહાર પાડે છે. આ બંને માં માનસિક અને શારીરિક (ICD) પ્રકારના વિકારોનું વર્ણન કરવામાં આવેલું છે અને ડીએસએમના ન્યુરો ડેવલોપમેન્ટલ ડિસઓર્ડર ના વિભાગમાં કેટલાક મહત્વના

25 Aug 2024

2. મેસ્લોનો માનવીની જરૂરિયાતોનો સિદ્ધાંત.

                                મનોવિજ્ઞાનમાં તો જુદા અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે એમાં ખાસ કરીને માનવવાદી અભિગમ (Huministic Approach) જે છે એ અબ્રાહમ મેસલો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ લઈને આવે છે. આ માનવવાદી અભિગમ એ માનવીની અંદર રહેલી સારી બાબતો તરફ પ્રકાશ ફેકે છે કે માણસ પોતે સ્વસ્થ રહેવા માટે રચાયેલો છે. પોતે પોતાની રીતે પરિસ્થિતિમાંથી (મુશ્કેલીઓ માંથી) બહાર આવી શકે છે. તેનામાં સારપનું તત્વ રહેલું છે. રોજર્સનો દર્દી કેન્દ્રિત ઉપચાર (Client Centred Therapy) આ જ વાત પર ભાર મૂકે છે કે સલાહ પ્રક્રિયામાં કેન્દ્રમાં દર્દી છે અને પરિઘ પર સલાહકાર છે. દર્દી પોતે જ મુશ્કેલીમાંથી બહાર આવે એવું વાતાવરણ ઉભું કરવાનું કામ સલાહકારનું છે. જે માનવતાવાદી દ્રષ્ટિ બિંદુ રજૂ કરે છે. એવા પ્રકારની વિચારધારા સાથે આ માનવતા વાદી વિચારધારા જોડાયેલી છે. પ્રેરણા માટે જુદા જુદા અનેક સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા છે પરંતુ એમાંનો એક સિદ્ધાંત એટલે મેસલોના ચડતા શ્રેણી નો સિદ્ધાંત (માનવીની જરૂરિયાતોનો સિદ્ધાંત) જેને આપણે વિગતવાર માહિતી મેળવીએ.